મોરબીમાં ત્રણ દુકાનોના તાળા તૂટ્યા : પોલીસ ફરિયાદ ન થઈ

- text


મોરબી : મોરબીમાં પોલીસના નાઈટ પેટ્રોલિંગ વચ્ચે તસ્કરો પણ પડકાર ફેંકી પેટ્રોલિંગ કરતા હોય તેમ ગત રાત્રીના એક સાથે ત્રણ ત્રણ દુકાનોના તાળા તૂટતાં લોકોમાં રોષ વ્યાપ્યો છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ પર આવેલ પરિશ્રમ કોમ્પ્લેક્સમાં ગતરાત્રીના તસ્કરો ત્રાટકયા હતા અને એક ક્લિનિક,પ્રોવિઝન સ્ટોર તથા મોબાઇલની દુકાનને નિશાન બનાવી નાની મોટી ચીજ વસ્તુઓ અને પરચુરણ ચોરી ગયા હતા, જોકે દુકાનદારો દ્વારા ચોરી અંગે ફરિયાદ ન નોંધાવતા ચોરીની સાચી હકીકત બહાર આવી નથી.

 

- text