ચરાડવાની સગીરાને લગ્નની લાલચે ઉપાડી ગયાની ફરિયાદ

- text


મોરબી : હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતી દલિત સગીરાને વાંકાનેરના સંખેરવા ગામનો શખ્સ લગ્નની લાલચ આપી બદકામ કરવાને ઇરાદે ભગાડી જતા આ મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા પામી છે,

- text

જાણવા મળતી વિગતો મુજબ હળવદના ચરાડવા ગમે રહેતી દલિત સગીરાને વાંકાનેરના સંખેરવા ગમે રહેતો પેથા દેવજી નામનો શખ્સ બદકામ કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ભગાડી જતા આ મામલે સગીરાના દાદીમા સમુબેન જીવાભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘટના અંગે હળવદ પોલીસે અપહરણ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધ્યો છે.

- text