ટંકારામા ગણેશ ઉત્સવ ની ભવ્ય ઉજવણી શરૂ : સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન

- text


શેરી અને મહોલાઓ વિધ્નહર્તા ના નાદ થી ગુજી ઉઠ્યા

ટંકારા : એકદંતાય ના ઉત્સવ ને લઈને ટંકારા જાણે મુંબઈમાં પલટી દેવામાં આવ્યુ હોય તેવુ જોવા મળી રહ્યું છે. ટંકારા સિધ્ધિ વિનાયક ગ્રુપ ના અરવિંદ બારૈયા અને પ્રતિક આચાર્ય લાલાભાઈ ના વડપણ હેઠળ તમામ ગ્રૂપ ના સભ્યો એ ભારે જહેમત ઉઠાવી ટંકારા નો સોથી મોટો પંડાલ ઉભો કર્યો છે અને 12 ફુટ ની મુતિઁ રાખવામાં આવી છે
આ ઉપરાંત ગાયત્રી નગર. રાધાકૃષ્ણ. ધેટીયા વાસ. સહીત આશર પરીવાર રાઠોડ પરીવાર સાથે નાના મા નાના ગામડે પણ આજથી ગણેશ ની વિધીવત સ્થાપન કરવામાં આવી છે આજથી દશ દીવસ રોજ રાત્રે મહાઆરતી, પ્રસાદ સહીત ની મહેમાન ગતી દુદાળા દેવ ટંકારા મા પણ માણશે.

- text