મોરબી મામલતદાર કચેરીમાં દલિત વૃદ્ધાનો આત્મવિલોપનનો પ્રયાસ

- text


મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ ઇન્દીરાનગરના દબાણ હટાવવા પ્રશ્ને આજે દલિત વૃદ્ધાએ મોરબી મામલતદાર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે તેમની અતકાયત કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર વિસ્તારના ઇન્દીરાનગરનામાં રહેતા ઉજીબેન ટાભાભાઈ પરમાર દબાણ પ્રશ્ને ઘણા વર્ષોથી રજુઆત કરતા હોવ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં ન આવતા આજરોજ મામલતદાર કચેરી મોરબી ખાતે શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવા પ્રયાસ કર્યો હતો.
પરંતુ આ સમયે પોલીસે મોરચો સાંભળી લઈ દલિત વૃદ્ધા ઉજીબેનની અટકાયત કરી બચાવી લીધા હતા.

- text