મોરબીમાં પુલ ઉપર ડેમુ ટ્રેન અડફેટે માધાપરમાં રહેતા આધેડનું મોત

- text


આજે વહેલી સવારે રેલવેના પાટા ક્રોસ કરતી સમયે દુર્ઘટના સર્જાઈ

મોરબી : મોરબીના પાડા પુલ પર આજે વહેલી સવારે રેલવેના પાટા ક્રોસ કરી રહેલા આધેડનું ડેમુ ટ્રેન હડફેટે કરું મૃત્યુ નીપજ્યું હતું।
બનાવની મળતી વિગતો મુજબ મોરબીની માધાપર શેરી નં 13માં રહેતા આધેડ મહેશકુમાર પ્રભાશંકર રાવલ ઉ. 52 આજે સવારે સામાકાંઠે જીઈબીની કચેરીએ વીજ બિલ ભરવા જતી સમયે પાડા પુલ પર રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ડેમુ ટ્રેન હડફેટે આવી જતા તેમનું ઘટના સ્થળે જ કરું મોત નીપજ્યું હતું. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text