મોરબી : પટેલનગર અને આલાપ સોસાયટીનો રસ્તો બંધ કરાતા કલેકટરને ફરિયાદ

- text


ખોડિયાર સોસાયટી દ્વારા જાહેર માર્ગ ઉપર દીવાલ ચણી લેવાઈ ?

મોરબી : મોરબી શહેરના વજેપર વાડી વિસ્તારમાં આવેલ આલાપ સોસાયટી અને પટેલનગર સોસાયટીનો મુખ્યમાર્ગ બંધ કરી દેવતા જિલ્લા કલેકટરને આધાર પુરાવા સાથે રજુઆત કરવામાં આવી હતી.
જાણવા મળતી વિગતો મુજબ વજેપરમાં આવેલ આલાપ અને પટેલ સોસાયટીમાં આવવા જવા માટે ખોડિયાર સોસાયટીમાંથી એપ્રોચ રોડ આપવામાં આવેલ છે પરંતુ ખોડિયાર સોસાયટી દ્વારા આ રસ્તો બંધ કરી દઈ દીવાલ ચણી લેવામાં આવતા હજારો લોકો હેરાન પરેશાન થઈ ગયા છે જે ને પગલે આજે ઉક્ત બન્ને સોસાયટીઓના રહીશો દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી રસ્તો ખુલ્લો કરવા માંગણી કરી હતી.

- text

- text