પત્રકાર સાથે ગેરવર્તન કરનાર પીએસઆઇના વિરોધમાં કલેક્ટરને આવેદન અપાયું

- text


મોરબી જિલ્લાના પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓએ પીએસઆઇ વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી

મોરબી : હળવદમાં પત્રકાર સાથે અણછાજતું વર્તન કરનાર PSI જાડેજા સામે પગલા લેવા માટે મોરબી જીલ્લાનાં પત્રકારો દ્વારા જીલ્લા કલેકટર અને ડી.એસ.પી.ને રજૂઆત કરવામાં આવી છે.રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી જીલ્લાના હળવદ તાલુકાના પત્રકાર તરીકે ફરજ બજાવતા મેહુલભાઈ ભરવાડ સાથે હળવદ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ. એ.બી.જાડેજાએ ન્યુઝ કવરેજ કરવા બાબતે અણછાજતું વર્તન કરી ગાળો આપેલ છે.આ ધટનાને મોરબી જીલ્લાના તમામ પત્રકાર મિત્રો સખત શબ્દોમાં વખોડી કાઢયો છે અને પત્રકાર સાથે ગેરવર્તન કરનાર હળવદ PSI જાડેજા સામે પગલા ભરવા મોરબી જીલ્લાના તમામ પત્રકારો દ્વારા માંગણી કરવામાં આવી હતી.

- text

- text