રક્ષાબંધને મારે કોને રાખડી બાંધવી ? મજબુર બહેનનો સીઆઇડી ક્રાઇમને દર્દભર્યો પત્ર

- text


મોરબી: બે વર્ષ જુના નિખિલ ધામેચા હત્યાકેસમાં હત્યારાઓને તાકીદે પકડવા માંગણી

મોરબી :મોરબીમાં બે વર્ષ પૂર્વે નિખિલ ધામેચ નામના 14 વર્ષના બાળકની અપહરણ બાદ હત્યા થયાની ઘટના માં હજુ સુધી આરોપીઓ ન ઝડપતા મજબુર બહેને તપાસનીશ એજન્સી સીઆઇડી ક્રાઇમને દર્દ ભર્યો પત્ર લખી આ રક્ષાબંધને કોને રાખડી બાંધવી તેવો વેધક સવાલ ઉઠાવી ચોક્કસ સંપ્રદાયના સાધુઓની તપાસ કરવા માંગણી ઉઠાવી છે.
મોરબીમાં રહેતા મયુરિબેન ધામેચાએ સીઆઇડી ક્રાઇમના વડા શિવાનન્દ ઝાને લેખિત વિનંતી કરતા જણાવ્યું હતું કે 19/12/2015 ના રોજ તેણીના 14 વર્ષના ભાઈનું એક્ટિવમાફરણ થાય બાદ લાશ મળી હતી આ મામલે સ્થનિક પોલીસ હત્યારા સુધી ન પહોંચી શકતા તપાસ આપ સાહેબને સોંપવામાં આવી છે.વધુમાં ઘટના બાદ આ ત્રીજું રક્ષાબંધન પર્વ આવતું હોય મારે કોને રાખડી બાંધવી તેવો વેધક સવાલ ઉઠાવી મયુરિબેન ધામેચાએ હત્યારાઓને તાકીદે પકડી પાડવા અને તેમના પરિવાર જાણો દ્વારા જેમના પર શંકા કરવામાં આવી હતી તે ચોક્કસ મંદિરના સંતોની તપાસ ન કરવામાં આવી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

- text

- text