વાંકાનેર : પ્રજાપતિ સમાજનાં તેજસ્વી તારલાઓનો સમ્માન સમારોહ યોજાશે

- text


વાંકાનેર : શ્રી વરીયા પ્રજાપતિ હિતવર્ધક ચેરીટેબલ ટ્રસ્ટ અને વરીયા પ્રજાપતિ સમાજ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ અંગે ઉત્સાહ પ્રેરવા અને સંગઠનની ભાવના અર્થે વાંકાનેરના પ્રજાપતિ સમાજનાં તેજસ્વી તારલાઓનો ૯મો વિધાર્થી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ તા.૧૮ જૂન રવિવારના રોજ બપોરના ૨ કલાકે ધરોડીયા શીવીબેન ગોવિંદભાઇ પ્રજાપતિ ભોજનશાળા, સ્ટેશન રોડ, અમરપરા ખાતે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં મહિલા વૃંદ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવશે તેમજ પ્રજાપતિ સમાજનાં વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે ત્યાર બાદ ઈનામ વિતરણ અને આભારદર્શન કરી સર્વ જ્ઞાતિ બંધુઓ સાથે અલ્પાહાર લઇ છૂટા પડશે.

- text

આ કાર્યક્રમને રસપ્રદ બનાવવા અશ્વિનભાઈ બરાસરા (મોરબી) – લોકગાયક, દુર્ગેશભાઈ નાવયાણી (રાજકોટ) અને હિરેન ઘુમારીયા (લજાય) – ગીતકાર ગીતોના સૂરની રંગત જમાવશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિતા પી. ધરોડીયા કરશે. વરીયા પ્રજાપતિ સમાજ શિક્ષણ સમિતિ દ્વારા સર્વ જ્ઞાતિબંધુઓને કાર્યક્રમમાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામા આવ્યું છે.

- text