મોરબી : ફાયરસ્ટેશન શોભના ગાંઠિયા સમાન

- text


આગ દુર્ઘટના સમયે રાજકોટ પર આધાર ક્યાં સુધી⁠ : મોરબી સિરા.એસો.નો યક્ષ પ્રશ્ન⁠⁠⁠

⁠મોરબીમાં અતિ આધુનિક ફાયરબ્રિગેડની અત્યંત જરૂર વર્ષોથી જણાતી હતી. આ વિશે સૌ જાણતા હોવા છતાં આ દિશામાં આગળ આવ્યા ન હતા ત્યારે મોરબી સિરા.એસો.એ મોરબી જિલ્લામાં ફાયરસ્ટેશનની જરૂરિયાત, આર્થિક નુકસાની અને જાનહાની અંગે આગળ આવી જણાવ્યું હતું કે, મોરબી ઉદ્યોગમા વિકાસ પામતું શહેર છે જ્યાં ૭૦૦થી વધુ સિરામીક ફેકટરીઓ આવેલી છે. જેમાં કીલન હોય સતત આગ રહેતી હોય છે. ત્યારે ગઈકાલે કંડલા રોડ પર એક પ્લાસ્ટિક ફેકટરીમા આગ લાગી અને કરોડોનું નુકસાન ગયું તેમાં મોરબી ફાયરબ્રિગેડની ફેસીલીટીનો અભાવ સ્પષ્ટ કારણભૂત હતું. મોરબી ફાયરબ્રિગેડ પાસે એવી સારી કોઇ ફેસીલીટી જ નથી ત્યારે આ બાબતે તંત્રે જાગવું જરૂરી છે. નહીતર ક્યારેક મોટું હોનારત થશે.
અત્યાર સુધીના આગ લાગવાના કિસ્સામાં મોટાભાગે રાજકોટથી ફાયરફાયટર આવે ત્યારે જ આગ કાબુમા આવે છે. અહીં કે વાંકાનેર બન્ને જગ્યાએ તો ફેસીલીટીની નામે મીંડુ છે અને તે ફાયર સાધનો પણ ફક્ત ૧૫ ઓગષ્ટ કે ૨૬ જાન્યુઆરીમા દેખાડવા માટે જ વપરાતુ હોય તેવું લાગે છે. ત્યારે મોરબીના ઇન્ડસ્ટરીઝ વિકાસ પ્રમાણે મોરબીમા સાંમાકાઠા વિસ્તારમાં ફાયરબ્રિગેડ સ્ટેશનની તાતી જરૂરીયાત છે અને તે પણ ઉચ્ચતમ ટેકનોલોજી સાથે કારણ કે, દિવસના જો ક્યાંય આગ લાગે તો દોઢ-બે કલાકે તો ટ્રાફીકમા તે બનાવની જગ્યાએ પહોંચે ત્યારે કરોડોનું નુકસાન થઇ જતુ હોય છે અને બીજું મશીનરી નબળી એટલે રાજકોટથી ફાયરફાયટર આવે ત્યારે કંઈક અંશે આગ કાબુમા આવે ત્યારે પોતની ઊભી કરેલ મિલકતનો નાશ જોવા સિવાય કોઇ રસ્તો ઉદ્યોગકાર પાસે હોતો નથી તો આ બાબતે ભવિષ્યમા કોઇ આફત આવે તો મોટી જાનહાની કે નુકસાનીથી બચી શકાય તે માટે મોરબી જિલ્લામાં અદ્યતન ફાયરસ્ટેશનની જરૂરિયાત છે તેવું મોરબી સિરમીક એશોસીએસને મોરબી અપડેટને જણાવ્યું હતું.

- text

- text