મોરબી : વિશ્વ યોગ દિન નિમિત્તે ફ્રી યોગ શિબિરનું આયોજન

- text


મોરબીમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે તા. ૧૯થી ૨૧ જૂન ત્રણ દિવસ દરમિયાન સવારે ફ્રી યોગ શિબિરનું નર્મદા બાલ ગમ્મત ઘર, નાગનાથ શેરી, સોની બજાર દરબાર ગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમા પુ.રાજર્ષિ  મુનીજીની સંસ્થા લકુલીશ યોગ વિદ્યાલય કાયાવરોહણથી તાલીમ પામેલા યોગ તજજ્ઞ નિર્મલસિંહ જાડેજા સેવા આપશે. આ શિબિરમાં બાળકો તથા વાલીઓ બાલઘરમાં પોતાનુ નામ રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે. વધુ માહિતી માટે 02822 222113 પર સમ્પર્ક કરવો.

- text