મોરબી : ખેડૂત આગેવાન અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાનો આજે જન્મદિવસ

- text


મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાનો આજે જન્મદિવસ છે.તા.૩ જુન ૧૯૬૩ન રોજ જન્મેલા મગનભાઈ વડાવીયા આજે જીવનના ૪૪ વર્ષ પૂર્ણ કરીને ૪૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. છેલ્લા 20 વર્ષથી મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. તેમજ તેમને 15 વર્ષ રાજકોટ ડીસ્ટ્રીક કોઓપરેટીવ બેંકમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવી છે. ખાખરાળા ગામના ખેડૂતપુત્ર એવા મગનભાઈ વડાવીયા ખેડૂતોના પ્રશ્નો માટે હંમેશા જાગૃત જોવા મળે છે.ખેડૂતોમાં અપાર લોકચાહના ધરાવતા મગનભાઈ વડાવીયાના જન્મદિવસ પ્રસંગે (૯૬૦૧૨ ૬૧૯૨૫) ચોમેરથી જન્મદિવસની શુભકામનાનો પાઠવાઈ રહી છે.

- text

- text