મોરબી રેડિયોમાં આજે સાંભળો રક્તપિત્તના દર્દીઓ માટે રૂ. ૧.૪૦ કરોડ એકત્ર કરનાર ચંદુલાલ દલસાણિયાને

- text


શિક્ષક ચંદુલાલ દલસાણિયા સાથે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં શિક્ષક ચંદુલાલ દલસાણિયા સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે.

મોરબી અપડેટ દ્વારા મોરબીનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે દરરોજ રાત્રે 9 થી 10 ‘મહેમાનો ઓ વ્હાલા’ શો શરુ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રતિભાઓને બોલાવીને તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવે છે.

- text

આજે આ શોમાં રક્તપિત્તના દર્દીઓ માટે 1.40 કરોડ રૂપિયા એકત્રિત કરનાર શિક્ષક ચંદુલાલ દલસાણિયા મહેમાન બનવાના છે. નોંધનીય છે કે, અમદાવાદના હિંમતનગરની મનોવિકલાંગો તથા રક્તપિત્ત માટે કૃષ્ટયજ્ઞ ટ્રસ્ટ નામની સંસ્થાના પરિચયમાં આવ્યા બાદ સંસ્થા માટે દાન એકત્ર કરવાનું બીડું ઉઠાવ્યું હતું અને આ વાત પોતાના મિત્રો અને સગા-સ્નેહીઓને જણાવીને 1.40 કરોડ જેટલું દાન એકત્રિત કર્યું છે, તો આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો સાંભળવાનું ચૂકશો નહીં. આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 દરમિયાન રિપીટ પણ થવાનો છે. મોરબી રેડિયોને લગતી કોઈ પણ માહિતી માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે.http://morbiupdate.com/radio/

- text