વાંકાનેરમા બંધ રીક્ષા પાછળ બાઇક ઘુસી ગયુ : કિશોરનું મોત

- text


 

વાંકાનેર : વાંકાનેરમા બંધ રીક્ષા પાછળ બાઇક ઘુસી જતા બાઈકચાલક કિશોરનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરમાં પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ પાસેથી જીજે ૩૬ઇ ૬૮૨૭ નંબરના બાઈકચાલક જગદીશ રાજુભાઇ ઝાપડા ઉ.વ. ૧૭ રહે. જિનપરા- વાંકાનેરવાળાએ પોતાનું બાઇક સર્વિસ રોડ પર બંધ પડેલ રિક્ષામા ઘુસાડી દઈને અકસ્માત સર્જ્યો હતો. જેમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. આ મામલે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text