શનાળાના પ્રસિદ્ધ શક્તિમાતાના મંદિરમાં લૂંટના ઇરાદે પૂજારી પર હુમલો !

- text


લૂંટના ઇરાદે ત્રણથી ચાર અજાણ્યા શખ્સો એ પૂજારીને માર મારતા પોલીસ ફરિયાદ

મોરબી :ગઈકાલે મોડી રાત્રે શનાળાના પ્રસિદ્ધ શક્તિમાતાના મંદિરમાં લૂંટના ઇરાદે ત્રાટકી અજાણ્યા શખ્સોએ મંદિરના પૂજારીને માર મારતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
જાણવા મળતી વિગતો મુજબ શનાળામાં આવેલા સુપ્રસિદ્ધ શક્તિમાતાના મંદિરમા ગઈકાલે મોડીરાત્રે ત્રણ થી ચાર જેટલા અજાણ્યા શખ્સો ત્રાટકયા હતા અને મંદિરના પ્રાંગણ માં સુતેલા પૂજારી નલીનગીરી ગુલાબગીરીને ઉઠાડી મંદિરની પાછળની તરફ લઇ જઈ મંદિરની ચાવી આપવા જણાવ્યું હતું. પરંતુ મંદિરના પૂજારીએ ચાવી ના આપતા આ અજાણ્યા શખ્સો લાકડાના ધોકા લઇ મહંત પર તૂટી પડ્યા હતા અને બેફામ માર માર્યો હતો. બાદમાં આ અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા. ઘટના અંગે મંદિરના પૂજારીએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મંદિરના પૂજારીની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી ગુનેગારો ને ઝડપી લેવા મોરબી એ ડિવિઝન પોલીસે તાપસ શરૂ કરી છે.

- text

- text