મોરબીના કલાકારને મોરારિબાપુના હસ્તે નટરાજ એવોર્ડ અર્પણ

- text


મોરબી : મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિનું ગૌરવ એવા મૂળ ધ્રુવનગર ગામના વતની અને હાલ મોરબી રહેતા ભવાઈ કલાકાર રાજેશભાઈ કુકરવાડીયાને આજે તલગાજરડા ખાતે મોરારીબાપુના હસ્તે ભવાઈ ક્ષેત્રે સિદ્ધિ બદલ નટરાજ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

- text

આજે હનુમાન જયંતીના પાવન દિવસે ચિત્રકૂટ ધામ તલગાજરડા મુકામે કથાકાર મોરારિબાપુના હસ્તે ભવાઈ કલામાં સિદ્ધિ મેળવનાર રાજેશભાઈ કુકરવાડીયાને નટરાજ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજેશભાઈ કુકરવાડીયાને મળેલા આ ગૌરવ પૂર્ણ નટરાજ એવોર્ડ માટે સમગ્ર જ્ઞાતિ બંધુઓ હર્ષની લાગણી અનુભવે છે. મોરબી મચ્છુકાંઠા લોક ભવાઇ કલાના ઇતિહાસમાં સૌ પ્રથમ એવોર્ડ રાજેશભાઇને મળતા પરિવારજનો, ગ્રામજનો, જ્ઞાતિ બંધુઓ, અને ભવાઇ ચાહકોમા હર્ષની લાગણી હોય ચોમેરથી અભિનંદન વર્ષા વરસી રહી છે.

- text