મોરબીમાં તા.12મીએ SSY યોગ શિબિર યોજાશે

- text


મોરબી : મોરબીમાં આગામી તારીખ 12 મેના રોજ સિદ્ધ સમાધિ યોગ (SSY) શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 12 મે ને રવિવારના રોજ સાંજે 7 કલાકે મોરબીના સંસ્કાર ઈમેજિંગ સેન્ટર ખાતે યોગ શિબિર યોજાશે. જેમાં પ્રાણાયામ, ધ્યાન, યોગ્ય ખોરાકની સમજ, યોગાસન, આંતરિક સમજણ, સદા આંનદમાં રહેવાની કળા, પંચકોષ શુદ્ધિકરણ, પોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલિટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનિંગ શિબિરમાં આપવામાં આવશે. શિબિરમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે નવનીત કુંડારિયા- મો.નં. 9825224898 અથવા ધ્રુવ દેત્રોજા- મો.નં. 9913111202 નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text