તા.25 એપ્રિલથી મોરબીમાં શ્રીરામ સે રાષ્ટ્રકથા યોજાશે

- text


મોરબી : માતૃભૂમિ વંદના ટ્રસ્ટ- મોરબી દ્વારા ભારત માતા મંદિરના લાભાર્થે મોરબીના આંગણે પ્રથમ વખત શ્રીમદ વાલ્મીકીકૃત રામકથા શ્રી રામ સે રાષ્ટ્રકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબીના રવાપર તથા એસપી રોડની વચ્ચે અવધપુરી સનસિટી ગ્રાઉન્ડ ખાતે તારીખ 25 એપ્રિલ થી 1 મે સુધી શ્રી રામ સે રાષ્ટ્રકથા યોજાશે. જેમાં વક્તા અંજલીબેન આર્ય (વેદ વિદુષી- હરિયાણા) દરરોજ રાત્રે 8-30 થી 11-30 સુધી કથાનું રસપાન કરાવશે. કથામાં ડો. એન.પી. સિંહ (નિવૃત્ત આઈએએસ), સવજીભાઈ ધોળકીયા, ડો. જયંતિભાઈ ભાડેસિયા, નકલંક મંદિર બગથળાના મહંત દામજી ભગત, સ્વામી પરમાર્થદેવજી, મનસુખભાઈ સુવાગીયા સહિતના મહેમાનો પધારશે. તો આ કથાનો લ્હાવો લેવા સર્વેને જાહેર આમંત્રણ પાઠવાયું છે.

- text