હવે જવાહર નવોદયની પરીક્ષા સરળતાથી પાસ કરો : વિદ્યા કોચિંગ સેન્ટરમાં ખાસ બેચ શરૂ

 

7 વર્ષના અનુભવી શિક્ષક દ્વારા અપાતું એ ટુ ઝેડ કોચિંગ : માત્ર 12 જ વિદ્યાર્થીની બેચ : ધો.5થી 10 સુધીના વિદ્યાર્થીઓને પર્સનલ કોચિંગ પણ અપાઈ છે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : આપના બાળકને જવાહર નવોદયની પરીક્ષા પાસ કરાવવી છે ? તો વિદ્યા કોચિંગ સેન્ટરમાં એડમિશન મેળવી લ્યો. અહીં પરીક્ષા માટે એ ટુ ઝેડ કોચિંગ અપાવી બાળકને જવાહર નવોદયની પરીક્ષા પાસ કરાવી આપવાના પૂરતા પ્રયાસો કરવામાં આવશે. તો આજે જ એડમિશન લ્યો.

મોરબીમાં રવાપર ચોકડી પાસે કોહિનૂર કોમ્પ્લેક્ષમાં વિદ્યા કોચિંગ સેન્ટર કાર્યરત છે. જ્યાં કોચિંગ ક્ષેત્રે 7 વર્ષનો અનુભવ ધરાવતા કિશન સર દ્વારા પોતાની આગવી શૈલીમાં બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. અહીં એક બેન્ચમાં માત્ર 12 જ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવે છે. ઉપરાંત વર્ષ દરમિયાન 80થી વધુ ટેસ્ટ લઈને બાળકોનું સતત મૂલ્યાંકન કરવામાં આવે છે.


જવાહર નવોદય કોચિંગ કલાસ

અહીં જવાહર નવોદય અને બાલચડી સ્કૂલના પ્રવેશ માટે લેવાતી પરીક્ષાના 1 વર્ષના કલાસ ચલાવવામાં આવે છે. આ કલાસ ગુજરાતી અને અંગ્રેજી બન્ને માધ્યમમાં ચલાવવામાં આવે છે. આ પરીક્ષામાં બાળક જો પાસ થાય તો તેને ભારત સરકાર દ્વારા 12 સાયન્સ અને કોમર્સ સુધી ભણવા, રહેવા અને જમવાની નિઃશુલ્ક સુવિધા મળે છે. અત્યાર સુધીમાં અહીંના 16 વિદ્યાર્થીઓ જવાહર નવોદયની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે.


ગણિત સ્પે. બેન્ચ

અહીં ધો.5થી 10ના ગણિતમાં નબળા બાળકો માટે 40 દિવસની ગણિત સ્પેશિયલ બેન્ચ પણ ચલાવવામાં આવે છે.


પર્સનલ કોચિંગ

અહીં ધો.5થી 10ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પર્સનલ કોચિંગ પણ આપવામાં આવે છે. તો આજે જ સંપર્ક કરો અને આપના બાળકના ભવિષ્યને ઉજ્જવળ બનાવો.


વિદ્યા કોચિંગ સેન્ટર
કોહિનૂર કોમ્પ્લેક્ષ,
રવાપર ચોકડી,
મોરબી
કિશન સર
9409710967
7984134693