મોરબીના નારીચાણિયા હનુમાનજી મંદિરે તા.23મીએ હવન યોજાશે

- text


મોરબી : મોરબી શહેરના શ્રી નારીચાણિયા હનુમાનજી મહારાજની જગ્યામાં દરવર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે તારીખ 23 એપ્રિલ મંગળવારના રોજ ધામધુમથી ઉજવવામાં આવશે. સરદાર રોડ પર સુધારા શેરીમાં અંદાજે 700 વર્ષ જુનું નારીચણા હનુમાન મંદિર આવેલ છે જ્યાં દરવર્ષે હવનનું આયોજન કરવામાં આવ્યું છે. હવન સવારે 9 થી સાજે 5 વાગ્યા સુધી છે. ત્યારે આ ધાર્મિક પ્રસંગે હવનમાં પધારવા માટે મંદિર દ્વારા ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text