હળવદમાં ચંદ્રમૌલી હનુમાનજી મંદિરે તા.23મીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

- text


હળવદ : હળવદ શહેરમાં આવેલી ચંદ્રપાર્ક સોસાયટી દ્વારા તારીખ 23 એપ્રિલના રોજ ચંદ્રમૌલી હનુમાનજી મંદિરે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું આયોજન રાખવામાં આવ્યું છે. હનુમાન જયંતીના અવસર પર થઈ રહેલા આ મહોત્સવમાં સવાર 7:30 થી સાંજ 5:15 સુધી પૂજા અર્ચનનો કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બપોરે 12:39 કલાકે થશે તેમજ મહાપ્રસાદનું આયોજન બપોરે 2:30 કલાકે રાખવામાં આવ્યું છે. તેમજ તારીખ 22 એપ્રિલના રોજ બપોરે 3:38 કલાકે વેજનાથ મંદિરથી ચંદ્રપાર્ક સોસાયટી સુધી શોભાયાત્રા યોજાશે તેમજ રાત્રે 9 કલાકે માલવણ મંડળ દ્વારા ધૂન ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ ધાર્મિક મહોત્સવ નિમિત્તે હળવદના ભકતજનોને હનુમાનજીના દર્શન તેમજ મહાપ્રસાદ લેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text