- text
મોરબી : હાલ મોરબીમાં સામતભાઈ જારીયાના પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા ચાલી રહી છે. આ કથાનું શ્રવણ કરવા વિવિધ સામાજિક, રાજકીય આગેવાનો અને સંતો-મહંતો પધારી રહ્યા છે.
- text
શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ઈફકોના ડિરેક્ટર મગનભાઈ વડાવીયા, અગ્રણી ઉદ્યોગપતિ વિનુભાઈ રૂપાલા, હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય જયંતિભાઈ પડસુંબિયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય અનિલભાઈ મહેતા, વિજય બાપુ સહિતના મહેમાનોએ ઉપસ્થિત રહીને કથાનું રસપાન કર્યું હતું. આ તકે જારીયા પરિવાર દ્વારા તમામ મહેમાનોને રાધા-કૃષ્ણની પ્રતિમા અર્પણ કરીને સન્માનિત કરાયા હતા.
- text