વાંકાનેરના પંચાસીયા ગામે સુરાણી પરિવાર દ્વારા યજ્ઞ મહોત્સવ યોજાશે

- text


વાંકાનેર : આગામી તારીખ 22 એપ્રિલ ને સોમવાર તથા 23 એપ્રિલ ને મંગળવારના રોજ પંચાસીયા ગામે આવેલા સુરાણી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

પંચાસીયા ગામે આવેલા સુરાણી પરિવારના સુરાપુરા લાખાદાદાના મંદિરે 22 એપ્રિલે ઉછામણી, ધ્વજારોહણ, દાદાની આરતી, રાસગરબાનું આયોજન કરાયું છે. 23 એપ્રિલના રોજ નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞના આચાર્ય પદે આશિષભાઇ પંડ્યા (કોયલી વાળા) ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વિવિધ મઢના ભુવાશ્રીઓ ઉપસ્થિત રહેશે. આ યજ્ઞ મહોત્સવમાં સુરાણી પરિવાર સાથે સાથે પરિવારની બહેનો, દીકરીઓ તથા વેવાઈ પક્ષના સર્વે દરેક કુટુંબીજનોને પણ હાજર રહેવા જણાવાયું છે.

- text