મોરબીમાં ધારવાળા હનુમાનજી મંદિરને શ્રીરામની રંગોળીથી સજાવાયુ

- text


મોરબી: શહેર થતા જિલ્લામાં ઠેર ઠેર રામનવમી નિમિતે અનેકવિધ કાર્યક્રમો તેમજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી-2માં ઉમીયા નગર પાસે આવેલા શ્રી ધારવાળા હનુમાનજી મહારાજના મંદિરે રામનવમીની ઉજવણી માટે સુંદર રંગોળીનું આયોજન કરાયું હતું.

આ રંગોળી કાર્યક્રમમાં કલાકાર વિશાલ બાલુભાઇ સુરેલા દ્વારા મંદિરના પટાંગણમાં 12×15 ફૂટની રંગોળી બનાવવામાં આવી હતી. જેમાં માતા સીતા, ભગવાન શ્રીરામ, લક્ષ્મણ તેમજ હનુમાનજીની પ્રતિકૃતિથી રંગોળી સજાવી હતી. આ સાથે જ મંડલા આર્ટ જેમાં જય શ્રી રામ લખેલું હોય તેવી રંગોળી પણ બનાવવામાં આવી હતી.

- text

- text