ટંકારા:વતનમાં જવાની ના પાડતા સગીરાએ ગળેફાંસો ખાઈ લીધો

- text


ટંકારા : મૂળ મધ્યપ્રદેશના માલ ફળીયા હાલ ટંકારાના નેકનામ પડધરી રોડ ઓસન કોટન જીનીગ મીલની ઓરડીમા રહેતી સુનિતાબેન સરદારભાઇ મૈડા ઉવ.૧૭ને ઓસન મીલમા ફીડરનુ કામ કરતા રવીકુમાર સાથે મનમેળ(મિત્રતા) હોય અને આ રવિકુમાર તેઓની બાજુની ઓરડીમા રહેતા હોય ત્યારે રવીકુમાર પોતાના વતનામા જતા હોય જેથી મૃતક સુનિતાને પણ તેની સાથે જવુ હોય જે બાબતે મૃતકના માતા દેવકીબેને રવિકુમાર સાથે જવાની ના પાડેલ અને કહેલ કે તારી ઉમર નાની છે અને રવી સાથે તારે ન જવાઇ તેમ કહેલ હોય જેથી રવી પોતાના વતનમા જતા રહેતા જે બાબતનું સુનિતાબેનને લાગી આવતા ઓરડીમાં ગળેફાસો ખાઇ જતા તેનું મોત નીપજ્યું હતું ત્યારે સગીરાની ડેડબોડી પડધરી સરકારી હોસ્પિટલે ખસેડતા ફરજ પરના ડોક્ટરે મરણ ગયાનું જાહેર કરતા ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- text