મોરબીના રામઘન આશ્રમ ખાતે માતૃવંદના કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીના રામઘન આશ્રમ ખાતે કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ દ્વારા માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 5 વર્ષની બાળાઓથી લઈને 65 વર્ષના બહેનો માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય મહંત ભાવેશ્વરીમાંના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ તેમના દ્વારા પરીચય પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.મહિલાઓ દ્વારા સંચાલિત અને મહિલાઓના કાર્યક્રમમાં મહિલા મંડળના હોદ્દેદારો ગૌરીબેન નાકરાણી, રેવાબેન નાકરાણી, રશ્મિબેન પોકાર, પુષ્પાબેન ડાયાણી,નેહાબેન ભગત, વર્ષાબેન નાકરાણી સહીતના મંડળના બહેનોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text