માળીયાના વવાણીયા આરોગ્ય કેન્દ્રની સરાહનીય કામગીરી, બેભાન વ્યક્તિનો જીવ બચાવ્યો

- text


મોરબી : મોરબી જીલ્લાના માળીયા તાલુકાના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં આવેલા લક્ષ્મીવાસ ગામના મનસુખભાઈ લખમણભાઈ ધામેચા અચાનક બેભાન થઈ ગયા હતા. તેની જાણ બાજુના ગામમાં આવેલા વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવતા તાત્કાલિક વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. જીમિકાબેન વેદ, કમ્યુનિટી હેલ્થ ઓફિસર ક્રિષ્નાબેન પટેલ તથા એકાઉન્ટન્ટ કેતનભાઈ ભટાસણા ઘટના સ્થળે દોડી ગયા અને દર્દીને જરૂરી પ્રાથમિક સારવાર આપી 108 એમ્બ્યુલન્સ દ્વારા મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા દર્દીનો જીવ બચાવ્યો હતો. વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર તેમજ તેમની ટીમની કામગીરીને લક્ષ્મીવાસ ગામના પૂર્વ સરપંચ તથા મોરબી જીલ્લા યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ જયદીપભાઈ સંઘાણીએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text