“પોડકાસ્ટ”માં આ વખતે જાણીતા ઉદ્યોગપતિ અને પાટીદાર ભામાશા ગોવિંદભાઈ વરમોરા સાથે ખાસ વાતચીત

- text


મોરબી અપડેટના શો “પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા” એપિસોડ- 11 માં સાંભળો જાણીતા ઉદ્યોગકાર ગોવિંદભાઈ વરમોરાને..

મોરબી : મોરબી અપડેટ સમાચારની સાથે અવાર-નવાર તમારા સુધી કંઈક અવનવું અને જરૂરી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરતું રહે છે એ પછી મોટીવેશન મન્ડે હોય કે ફની ફ્રાઈડે, ઈન્ફોરમેશન વિડીયો હોય કે બિઝનેસ પ્રમોશન શો…ત્યારે હવે મોરબી અપડેટે એક નવા શો ની શરૂઆત કરી છે “પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા”

- text

“પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા” ના બધા એપિસોડ પર આપ સૌ નો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો ત્યારે અગિયારમો એપિસોડ તારીખ 18 ડિસેમ્બર ને બપોરે 1.00 વાગ્યે રિલીઝ થવા જઈ રહ્યો છે. આ શો મોરબી અપડેટના ફેસબુક, યુટ્યુબ, પેજ પર રિલીઝ થશે. પોડકાસ્ટના અગિયારમાં એપિસોડમાં જાણીતા ઉદ્યોગકાર ગોવિંદભાઈ વરમોરા સાથે વિસ્તૃત વાર્તાલાપ થશે. જેમાં મોરબીના ઉદ્યોગ વિશે, મોરબીમાં ઉદ્યોગની શરૂઆત કઈ રીતે થઈ, મોરબીની લાઇફસ્ટાઇલ અને સુવિધાઓ તથા આધ્યાત્મિકતા, સેવા વિશે વિસ્તૃત ચર્ચા થશે તો મોરબીઅપડેટના નવા શો પોડકાસ્ટ જોવાનું ચુકતા નહીં.

- text