મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક મળી

- text


મોરબી : મોરબીમાં નવા સરસ્વતી શિશુ મંદિર ખાતે વિશ્વ હિંદુ પરિષદના બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતની વ્યાપક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકનો મુખ્ય હેતુ વિશ્વ હિંદુ પરિષદ અખિલ ભારતીયની યોજના , શૌર્ય જાગરણ યાત્રાનું જે આગામી સમયમાં આયોજન કરવાનુ છે એ હતો. શૌર્ય જાગરણ યાત્રા આખા ભારતમાં બજરંગદળ દ્વારા નીકળશે .આ બેઠકમાં બજરંગદળના સૌરાષ્ટ્ર પ્રાંતના ૩૦૦ થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બજરંગદળના ગુજરાત ક્ષેત્રના અધિકારી, વિશ્વ હિંદુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધિકારી તથા બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text