- text
મોરબી : ટંકારા તાલુકાના નેકનામ ગામમાં રહી કડીયા કામ અને ખેત મજૂરી કરતાં રમેશભાઇ છગનભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૫) ગઇકાલે પડખામાં દુઃખાવો થતો હોવાથી સોનોગ્રાફી કરાવવા માટે રાજકોટ જઇ રહ્યાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ રાજકોટમાં ઘંટેશ્વર ૨૫ વારીયા પાસે બેભાન થઇ જતાં મોત થયું હતું. બનાવની જાણ થતાં પોલીસે પહોંચી આધારકાર્ડ, ફોન નંબરને આધારે તેમના સગાને જાણ કરતાં તેઓ રાજકોટ પહોંચ્યા હતાં. સગાના કહેવા મુજબ રમેશભાઇ ત્રણ બહેન અને ચાર ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં ત્રણ દિકરી છે. આ બનાવ અંગે રમેશભાઈ ઘંટેશ્વર પાસે શુ઼ કરવા ગયા તે સહિતની બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.
- text
- text