ઉમિયા માનવ મંદિરને રૂ. 51 હજારનું અનુદાન અર્પણ કરતા સેવાભાવી આગેવાન

- text


 

મોરબી : લજાઈ નજીક નિર્માણ પામી રહેલા ઉમિયા માનવ મંદિરના ટિકર રણ નિવાસી સિતાપરા ચંદુલાલ જીવાભાઈએ રૂ. 51000/-ની ધનરાશી અર્પણ કરી પવિત્ર પુરષોતમ માસમાં પુણ્યનું ભાતું પ્રાપ્ત કર્યું છે. દાતાની દિલેરીને પોપટભાઈ કગથરા- પ્રમુખ ઉમિયા માનવ મંદિર તેમજ હરજીવનભાઈ બાવરવાએ માતાજીનો ખેસ પહેરાવી બુક અર્પણ કરી અભિવાદન કર્યું હતું.

લજાઈમાં ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં જેમને દીકરા નથી એવા પાટીદાર પરિવારના જરૂરિયાતમંદ 200 નિરાધાર વડીલોને આશરો આપવા માટે ફાઈવ સ્ટાર હોટેલ જેવું ઉમિયા માનવ મંદિરનું નિર્માણ થઈ ગયું છે. ફુલ એસીની સુવિધા ધરાવતા રૂમનું બાંધકામ, રંગરોગાન પૂર્ણ થઈ ગયું છે. હાલ ફર્નિચર કામ ચાલુ છે. ટૂંક સમયમાં માનવ મંદિરમાં વડીલોને પ્રવેશ કરાવી ભવ્ય અને દિવ્ય ઉદ્ઘાટન થવાનું છે. અનેક દાતાઓ આ માનવ મંદિરના દરિદ્ર નારાયણોના નિભાવ અને સંસ્થાના વિકાસ માટે દાનનો અવિરત પ્રવાહ વહેવડાવી રહ્યા છે.

- text

- text