વાંકાનેરના પીપળીયા રાજ ગામે ખેત શ્રમિક યુવાન લાશ મળી, હત્યાની આશંકા

- text


વાંકાનેર તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે ખેત શ્રમિક યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા કોઈએ ઘાતકી હત્યા કરી નાખી હોવાની આશંકા વચ્ચે પોલીસે તપાસ શરૂ કરી છે. હજુ સુધી યુવાનની હત્યાનું કારણ અકબંધ રહ્યું છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે સીમમાં આવેલી વાડીએ રહીને ખેતમજૂરી કરતા રોહિત ડુંગરશીભાઈ બામણિયા (ઉ.વ.21) નામના યુવાનની કોઈ અજાણ્યા શખ્સોએ કોઈ કારણોસર તીક્ષણ હથિયારોના ઘા ઝીકી નિર્મમ હત્યા કરી નાખી હોવાની આશંકા વચ્ચે મૃતદેહ મળી આવ્યો છે. યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. આ બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

- text

સૂત્રોના જણાવ્યા અનુસાર આ યુવાનની ક્યાં કારણોસર હત્યા થઈ એ હજુ બહાર આવ્યું નથી. પણ હાલ હત્યાના બનાવના કારણનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે અને અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુન્હો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

- text