મોરબી પોસ્ટ ઓફિસના કર્મચારીનો વિદાય સમારંભ યોજાયો

- text


મોરબી : મોરબી પોસ્ટ ઓફિસમાં વર્ષોથી ફરજ બજાવતા જે.આર.રાવલ (પી.આર.આઈ.(પી.)) પોસ્ટ મેન પી.એન.નંદાસિયા નિવૃત્ત થયા હોય તેઓની વિદાય સમારંભનું આયોજન ગઈકાલે કરવામાં આવ્યું હતું.

વિદાય સમારંભમાં બહોળી સંખ્યામાં સ્ટાફ મેમ્બર્સ તેમજ નિવૃત્ત કર્મચારીઓ અને રાજકોટથી પણ સ્ટાફ મેમ્બર્સ તેમજ નિવૃત કર્મચારીઓ અને અઘિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. પોસ્ટ માસ્તર પરાગભાઈ વસંત દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ફુલતરીયાભાઈ દ્વારા સમગ્ર સમારંભનું સુરૂપે સંચાલન કરવામાં આવ્યું હતું. વિદાયમાન થતા બન્ને કર્મીઓને નિવૃત્તિકાળ સમૃદ્ધ અને સ્વસ્થ રહે તે માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વિદાય સમારંભનાં અંતે સ્વરૂચી ભોજન લઈ સમારંભની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

- text

- text