મોરબીના પીપળીયા ચાર રસ્તાથી લૂંટાવદર સુધી વીજ થાંભલાઓ કડડભૂસ

- text


ભારે પવનમાં એક સાથે અનેક થાંભલાઓ ધરાશયી, ખાખરાળા પાસે પણ થાંભલા પડ્યા 

મોરબી : વાવાઝોડા બીપરજોયે અત્યાર સુધીમાં સૌથી વધુ નુકશાન વીજ તંત્રને પહોચાડ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે આજે સવારથી ફૂંકાઈ રહેલા ભારે પવનને કારણે મોરબીના પીપળીયા ચાર રસ્તાથી લૂંટાવદર સુધી અનેક વીજ થાંભલાઓ કડડભૂસ થઈ જતા વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાવાઝોડા બીપરજોયને પગલે ગતરાત્રી બાદ આજે પણ તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો હોય ભારે પવનને કારણે મોરબીના પીપળીયા ચાર રસ્તાથી લૂંટાવદર સુધીમા રોડની એક તરફ 10 જેટલા વીજ થાંભલાઓ કડડભૂસ થયા હતા. આ સાથે જ ખાખરાળા નજીક પણ અનેક વીજ પોલ ધરાશયી થતા વીજ તંત્રને દોડધામ થઈ પડી હોવાનું જાણવા મળે છે.

- text