મોરબીના જય બાબા રામદેવપીર મંદિરે અષાઢી બીજની ધામધૂમથી ઉજવણી કરાશે

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ખાતે આવેલા જય બાબા રામદેવપીર મંદિર ખાતે તા. 19 જૂનને સોમવારે અષાઢી બીજની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 19 ના રાત્રે 9 કલાકે ડાક ડમ્મર કાર્યક્રમમાં ડાકની રમઝટ બોલાવવામાં આવશે તેમજ તા. 20 ના સવારે 10 કલાકે ધજા ચઢાવવામાં આવશે અને સાંજે 6:30 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રામદેવપીર મંદિરના ભુવા હકાભાઈ ગૌસ્વામી, રણછોડભાઈ ગમારા ઉપસ્થિત રહેશે. મોરબી તેમજ આસપાસની ધર્મપ્રિય જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા જય બાબા રામામંડળ, ટાઈગર મેલડી ગૃપ, ગોપાલ ગૃપ, સતવારા યુવા મંડળ, ડેલાવાળા મામાદેવ ગૃપ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text