લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો

- text


મોરબી: લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીનાં ખજાનચી અને ચિત્રા હનુમાનજી ધૂન મંડળનાં પ્રમુખ ટી. સી. ફુલતરિયા તેમજ મનિષાબેન ત્રિભોવનભાઈ ફૂલતરીયા પરિવારના સહયોગથી લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી અને રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા કેપી ટેક નોનવુવન ઈન્ડિયા પ્રા.લી.કંપની, પીપળીયા ચાર રસ્તા ખાતે નવમો વિનામુલ્યે મોતિયાના ઓપરેશન માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં કુલ ૧૩૩ દર્દીઓને ચેકઅપ કરવામાં આવ્યા હતા અને તેમાંથી ૨૫ જેટલાં દર્દીઓને રણછોડદાસજી હોસ્પિટલ, રાજકોટ ખાતે મોતિયાના ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા અને ૩૩ જેટલા ઓર્થોપેડીક વિભાગમાં લોકોને તપાસતા જેમાંથી ૧૦ જેટલા લોકોને વધારાની સારવાર માટે મોરબી આયુષ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.

આ કેમ્પમાં લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ (સૌરાષ્ટ્ર-કચ્છ) નાં દ્વિતિય વાઈસ ડિસ્ટ્રિક્ટ ગર્વનર રમેશભાઈ રૂપાલાએ કેમ્પનાં દાતા લાયન ટી. સી. ફુલતરીયાનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ વિનામુલ્યે નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાની ૧૦ તારીખે પીપળીયા ચોકડી ખાતે માળિયા તેમજ આમરણ ચોવીસીનાં છેવાડાના લોકો માટે યોજાશે. વધુને વધુ કેમ્પનો આ લોકોએ લાભ લેવા જણાવ્યું હતું.

આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીનાં સેક્રેટરી લાયન કેશુભાઈ દેત્રોજા,ખજાનચી ટી. સી. ફુલતરીયાનો, લાયન નાનજીભાઈ મોરડીયા, લાયન ભીખાભાઈ લોરિયા, લાયન એ. એસ. શુરાણી, લાયન મહાદેવભાઈ ચીખલીયા, લાયન પ્રાણજીવનભાઈ રંગપરીયા, લાયન રશ્મિકાબેન રૂપાલા, લિયો બંસી રૂપાલા સહીતના મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text