- text
ટંકારા : ટંકારા તાલુકા – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યભિષેકના ૩૫૦ વર્ષ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભવ્ય રેલી યોજાઈ હતી.
ત્યારબાદ ગરવી ચોકમાં વક્તા દ્વારા શિવજી મહારાજના જીવન ઘડતર અને તેવા સાહસિક કિસ્સા ઉપર વકતૃત્વ આપવામાં આવ્યું હતું. તેમાં વક્તા તરીકે મિલનભાઈ પૈડા, પીન્ટુભાઈ મેરજા તેમજ ભરતભાઈ ઉપસ્થિત રહ્યા હતા.આ વેળાએ યોગીરાજસિંહ જાડેજા રસનાલ તેમજ અન્ય હિન્દુ સમાજના આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા.
- text
- text