મોરબીમાં અજાણ્યા યુવકની લાશ મળી : તપાસનો ધમધમાટ

- text


યુવકના વાલી-વારસ અંગે કોઈ જાણકારી હોય તો પોલીસને આપવા અપીલ

મોરબી : મોરબીના મણીમંદિર નજીકના વિસ્તારમાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. જેને પગલે પોલીસે આ મૃતક યુવાનના મોતનું કારણ શોધવા તથા તેના વાલીવારસને શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મોરબી મણીમંદીર પાસે રેલ્વે પાટા અને શંકર આશ્રમ નીલકંઠ મહાદેવના મંદીરની દક્ષીણ તરફેની દીવાલ પાસે ગઈકાલે કોઇ અગમ્ય કારણોસર મરણ ગયેલ હાલતમા ડેડ બોડી પુરૂષ ઉવ-આશરે ૩૫ વર્ષ મળી આવેલ હોય અને જેનુ રાજકોટ ફોરેન્સીક સાયન્સ મેડીકલ કોલેજમાં પી.એમ કરાવવા માટે લાશ પી.એમ રૂમ રાજકોટ કોલ્ડ સ્ટોરેજમા રાખવામા આવેલ છે.

- text

પુરૂષની લાશ જોતા શરીરે મધ્યમ બાંધોનો ચહેરો ગોળ છે, મરણ જનારના શરીરે બાજરી કલરનુ મેલા જેવુ અડધી બાઇનુ ટી શર્ટ તથા કાળા જેવા કલરનુ જીન્સ પેન્ટ પહેરેલ છે જમણા હાથમા “આઇ મોમાઇ માં” ત્રોફાવેલ છે અને મરણ જનારના નામની કે તેના સગા સંબધીની કોઇ ઓળખ થયેલ ન હોય જેથી મરણ જનારની લાશ હાલે રાજકોટ સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમા રાખવામા આવેલ છે. જે કોઈ આ યુવકમાં વાલી વારસ અંગે જાણ હોય તેઓને મોરબી સીટી બી ડીવી પોસ્ટે ટે.નં-૬૩૫૭૨ ૪૦૭૧૮ તથા ત.ક.અ વી.ડી.મેતા મોરબી સીટી બી ડીવી પોસ્ટે મો.નં-૯૬૮૭૬ ૯૩૩૦૨નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text