જલારામ પ્રાર્થના મંદિરના સદાવ્રતમા મહાપ્રસાદ યોજી જન્મદીનની અનોખી ઉજવણી

- text


મોરબી : વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે. ત્યારે મોરબી લોહાણા સમાજ અગ્રણી હરીશભાઈ હાલાણીના સુપુત્ર હાર્દિકભાઈ એ તેમના ૩૩માં જન્મદીનની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજી કરી હતી.

પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના હાર્દિકભાઈ હાલાણીએ સેવા કાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદીનની શુભકામના પાઠવી હતી. તેમ નિર્મિત કક્કડ- પ્રમુખ, જલારામ સેવા મંડળની યાદીમાં જણાવાયું છે.

- text

- text