લોકપર્ણના વાંકે ધૂળ ખાતા નવા બસ સ્ટેન્ડને તાત્કાલિક ખુલ્લું મૂકવા કાર્યકરોની માંગ

- text


ધારાસભ્ય અંગત રસ લઈને તાત્કાલિક ધોરણે નવા બસ સ્ટેન્ડને ચાલુ કરાવે તેવી સામાજિક કાર્યકરોની માંગ

મોરબી : મોરબીના નવા બસ સ્ટેન્ડ લાખોના ખર્ચે નવું અદ્યતન બનાવવામાં આવ્યું હોય અને આ બસ સ્ટેન્ડ નવું બનીને એકદમ તૈયાર હોય પણ છેલ્લા ઘણા સમયથી લોકપર્ણના વાંકે આ નવું બસ સ્ટેન્ડ ધૂળ ખાઈ રહ્યું છે. ત્યારે સામાજિક કાર્યકરોએ કલેકટર અને ધારાસભ્યને રજુઆત કરીને તાત્કાલિક ધોરણે નવા બસ સ્ટેન્ડને ચાલુ કરાવે તેવી માંગ કરી છે.

- text

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોકભાઈ ખરચરીયા, મુસભાઈ બ્લોચએ મોરબી જિલ્લા કલેકટર અને ધારાસભ્ય તેમજ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે મોરબીના શનાળા રોડ આવેલા આવેલા નવા બસ સ્ટેન્ડને ઘણા સમય પહેલા લાખોના ખર્ચે નવું બનાવવામાં આવ્યું હતું અને આ નવું બસ સ્ટેન્ડ એકદમ તૈયાર છે. હજારો મુસાફરોના ઉપયોગ માટે બસ સ્ટેન્ડ એકદમ તૈયાર હોવા છતાં કોઈ મોટા નેતાના હાથે ઉદ્ધાટન કરવાની રાહ જોવાતી હોય એમ હજુ આ બસ સ્ટેન્ડને મુસાફરોને ઉપયોગ માટે ખુલ્લું મુકાતું નથી. આ બાબતે અનેક રજુઆત કરવા છતાં નવા બસ સ્ટેન્ડને ચાલુ કરાતું નથી. બસ સ્ટેન્ડને લોકો માટે ખુલ્લું મુકવા કોઈ મોટા નેતાની રાહ જોવી કોઈ કાળે યોગ્ય નથી. છેલ્લા છ-સાત મહિનાથી નવું બસ સ્ટેન્ડ તૈયાર હોય ચાલુ ન કરતા હવે આ નવા બસ સ્ટેન્ડમાં પાન-માવાની પિચકારીઓ મારેલી હોય અને ગંદકીના ગંજ ખડકાયા છે. ત્યારે ધૂળ ધાણી થતા આ નવા બસ સ્ટેન્ડના બિલ્ડિંગને તાકીદે ખુલ્લું મૂકવાની માંગણી કરવામાં આવી છે.

- text