ધાંગધ્રાના જસાપરમા આકાશી વીજળી પડતા એકનુ વ્યક્તિ અને 70 બકરાના મોત

- text


વ્રજપરનો યુવાન જસાપરની સીમમાં બકરા ચરાવવા માટે ગયો હતો ત્યારે બનેલી ઘટના

હળવદ : ધાંગધ્રા તાલુકાના જસાપર ગામની સીમમાં બકરા ચલાવી રહેલ યુવાન પર વીજળી કાળ બનીને ત્રાટકતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તેની સાથે સાથે 70 થી વધુ બકરાઓના પણ મોત થયાનું સામે આવ્યું છે.

ઝાલાવાડ સહિત રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે ધાંગધ્રા તાલુકાના વ્રજપર ગામે રહેતા ચેતનભાઇ શેલાભાઈ ભરવાડ ઉંમર વર્ષ 25 તેઓના ગામની બાજુના જસાપર ગામની સીમમાં બકરા ચરાવવા માટે ગયા હતા.જો કે, આજે બપોર બાદ કમોસમી વરસાદ સાથે વીજળી પડતા ચેતનભાઇનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સાથે સાથે 70 થી વધુ બકરાઓ પણ મોતને ભેટયા હોવાની વિગતો સામે આવી છે.

- text

- text