ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં આજે કોરોનાના 4 કેસ 

- text


મોરબી, હળવદ, વાંકાનેર અને માળિયા તાલુકામાં કોરોનાનો એકેય કેસ નહિ

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડા વચ્ચે આજે નવા 4 કેસ નોંધાયા છે. બીજી તરફ 6 દર્દીઓ રિકવર પણ થયા છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે 497 જેટલા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 4 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ચારેય કેસ ટંકારા ગ્રામ્યના છે. જ્યારે મોરબી, હળવદ, વાંકાનેર અને માળિયા તાલુકામાં કોરોનાનો એકેય કેસ નોંધાયો નથી.

- text

બીજી તરફ આજર મોરબી તાલુકાના 6 દર્દીઓ રિકવર થયા છે. જેને પગલે હવે એક્ટિવ કેસ ઘટીને 18એ પહોંચી ગયા છે.

- text