વવાણીયામા પ્રેમસંબંધ મામલે ફાયરિંગ, પાંચ શખ્સોએ ભયનો માહોલ સર્જ્યો

- text


મોરબી : માળીયા તાલુકાના વવાણીયા ગામે ગઈકાલે ઈદના દિવસે પ્રેમ સંબંધ મામલે પાંચ શખ્સોએ ઘરમાં ઘુસી ફાયરિંગ કરી ભયનો માહોલ સર્જતાં માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે માળીયા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ વવાણીયા ગામે રહેતા ફરિયાદી રસુલભાઈ અભ્રામભાઈ ધોનાએ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના કૌટુંબીકભાઈ ઇકબાલભાઈ ઇશાભાઈ ધોનાને આરોપી અલતાફભાઈ અભાભાઈ કચાના બહેન સાથે પ્રેમ સંબંધ હોવાથી તે બાબતનો ખાર રાખી ગેરકાયદેસર મંડળી રચજ તેમના ઘેર આવ્યા હતા.

- text

વધુમાં આરોપી અલતાફભાઈ અભાભાઈ કચા, સદામ તેમજ ત્રણ અજાણ્યા ઈસમો ફરિયાદી રસુલભાઈના ઘેર આવી તેમના માતા રહિમાબેન સામે પિસ્તોલ જેવું હથિયાર તાકી ફાયરિંગ કરવાની સાથે જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે રસુલભાઈએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ત્રણ અજાણ્યા સહિત પાંચ ઈસમો વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text