વેલનાથ જયંતી નિમિત્તે મોરબીમાં ભવ્ય શોભાયાત્રા નીકળી

- text


મોરબી : મોરબીમાં આજ રોજ સમસ્ત કોળી સમાજ દ્વારા ધામધૂમથી વેલનાથ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

વેલનાથ જંયતી નિમિત્તે મોરબીમાં સમસ્ત કોળી સમાજ દ્વારા આજે મોરબીમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા સ્ટેશન રોડ પરથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી નહેરુ ગેઈટ ચોક થઈ વીસી સ્કૂલ થઈ મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી થઈ સો ઓરડી ખાતેની કોળી સમાજની બોર્ડિંગ ખાતે શોભાયાત્રાની પૂર્ણાહૂતિ થઈ હતી. સવારે 8 વાગ્યે શોભાયાત્રા નીકળી હતી અને બપોરે 1 વાગ્યે પૂર્ણ થઈ હતી. છેલ્લા 10 વર્ષથી આ પ્રકારે વેલનાથ જયંતીએ શોભાયાત્રા કાઢવામાં આવે છે. શોભાયાત્રા બાદ સૌએ સાથે મહાપ્રસાદ લીધો હતો.

- text

- text