- text
ઉપપ્રમુખ,સેક્રેટરી અને ખજાનચીની પણ નિમણૂક કરવામાં આવી
હળવદ : હળવદ બાર એસોશિએશનમાં પ્રમુખ,ઉપ પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચીની બિનહરીફ વરણી કરવામાં આવી છે.
આજરોજ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાના બાર એસોસિએશનના વર્ષ 2022-23ના વર્ષની ચૂંટણી યોજવામાં આવી હતી. જોકે હળવદમાં બાર એસોસિયનના તમામ વકીલ મિત્રો દ્વારા બારનું ઇલેક્શન નહીં પણ સિલેક્શન દ્વારા ચૂંટણી કરવામાં આવી હતી જેમાં હળવદ બારના તમામ વકીલો દ્વારા સર્વનું મતે પ્રમુખ તરીકે ભરતભાઈ દેવજીભાઈ ગણેશિયા(ઠાકોર)ની બિનઅરીફ વરણી કરવામાં આવી હતી તેની સાથે સાથે સેક્રેટરી વિશાલભાઈ ઘનશ્યામભાઈ રાવલ,ઉપપ્રમુખ અશ્વિનભાઈ આનંદ સ્વરૂપ મલિક અને ખજાનચી તરીકે લલિતકુમાર ઘનશ્યામભાઈ સોનગરા ની પણ બિનહરીફ નિમણૂંક કરવામાં આવી હતી.
- text
આ નવા વરાયેલા હળવદ બાર એસોસિયેશનના પ્રમુખ સહિતના હોદ્દેદારોને તમામ વકીલ મિત્રોએ અભિનંદન પાઠવ્યા છે.
- text