મોરબી રેવન્યુ બાર એસોસિએશનના વર્ષ 2023 માટે નવા હોદ્દેદારોની વરણી

- text


મોરબી : રેવન્યુ બાર એસોસિએશન- મોરબીના વર્ષ 2023 માટેના નવા હોદ્દેદારોની ગઈકાલે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

ગઈકાલે તારીખ 26 નવેમ્બરના રોજ રેવન્યુ બાર એસોસિએશન- મોરબીની મહત્વની મિટીંગ મળી હતી. આ મિટીંગમાં એસોસિએશનના વર્ષ 2023 માટેના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે પિયુષભાઈ મહેન્દ્રભાઈ રવેશીયા, ઉપપ્રમુખ તરીકે કિરીટભાઈ ડી. પટેલ અને ભાવીનભાઈ વી. ફેફર, સેક્રેટરી તરીકે હેમાંશુભાઈ સી. પોપટ, જોઈન્ટ સેક્રેટરી તરીકે આનંદભાઈ એસ. વાધડીયા, ટ્રેઝરર તરીકે અતુલભાઈ ટી. કલોલાની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે કારોબારી સભ્ય તરીકે લાલભાઈ આર હેરભા, સૌરભભાઈ જે. ભટ્ટ, ધિરેનભાઈ ડી. રાજપરા, જયરાજસિંહ એચ. રાઠોડ, ધર્મભાઈ કે. રાવલ, રૂષભભાઈ વી. મહેતા અને પ્રકાશગીરી બી. ગોસાઈની વરણી કરવામાં આવી છે. નવનિયુક્ત તમામ હોદ્દેદારો અને સભ્યોને સમગ્ર એસોસિએશન દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે.

- text

- text