મોરબીમાં કેસરીનંદન ગ્રુપ દ્વારા ઝૂલતા પુલના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પવા સુંદરકાંડના પાઠ યોજાશે

- text


મોરબી : કેસરીનંદન ગ્રુપ દ્વારા ઝુલતાપુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે 16મી નવેમ્બરે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સુંદરકાંડના પાઠ પરમ પૂજ્ય ગુરુજી અશ્વિનકુમાર પાઠકજીના મધુર કંઠે થશે. આગામી તારીખ 16/11/2022 ને બુધવારે રાત્રે 9:00 કલાકે કેસરીનંદન હનુમાનજીનું મંદિર, રોટરી નગર, સેવા સદન પાછળ મોરબી-2 ખાતે સુંદરકાંડના પાઠ યોજાશે. આ પાઠમાં દિવંગત સ્વજનોના ફોટા (વિનામૂલ્યે) મુકવા માટે વિમલભાઈ (94269 30808) અથવા મહેન્દ્રસિંહ (94264 48374) નો સંપર્ક કરવો.

- text

- text