ટંકારાના મેડિકલ ઓફિસર ડો.ચિખલિયાના પુત્રના ધડિયા લગ્ન યોજાયા 

- text


સમાજની સંસ્થા સાથે જીવદયા માટે માતબર રકમ આપી શુભ પ્રસંગ દીપાવ્યો

ટંકારા : ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોકટર વાસુદેવભાઈ બેચરભાઈ ચીખલીયા ના સુપુત્ર ડો. દીપ (M.D.Medicine) ની સગાઈ રાજેશભાઈ કાનાણી બાદનપર વાળા હાલે રાજકોટની સુપુત્રી ડો. પ્રિયાંશી (M.B.B S )સાથે તારીખ 22-10-2022 શનિવાર સાંજે યોજાયેલ શ્રીફળ વિધિ બાદ આગેવાનોની પ્રેરણા અને બંને વેવાઈ પક્ષની સહમતીથી ઘડિયા લગ્ન યોજવાનું નક્કી કરતા સાંજના સગાઈ વિધિ પછી ઘડિયા લગ્ન યોજવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મોરબીના નામાંકિત ડો. જયેશભાઈ પટેલે શુર સંગીત લહેરાવી નવદંપતીને આશિર્વાદ આપ્યા હતા. ઉપરાંત મોરબી રાજકોટ સહિતના ડોકટરો, ધારાસભ્ય લલીતભાઈ કગથરા સમુહ લગ્ન સમિતિના પ્રમુખ હિરાભાઈ ફેફર, કેશુભાઈ જીવાણી (માસ્તર), રમેશભાઈ ગાંધી સહિતના સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો સાંસદ મોહનભાઈ કુંડારિયા, મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા સહિતનાઓએ ઓનલાઈન હાજરી આપી શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા.

ડો. વી બી ચીખલીયાએ પુત્રના ઘડિયા લગ્ન યોજી લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ અટકાવી રકમ સેવાકાર્યમાં વાપરી છે તેઓએ શ્રી ટંકારા પાટીદાર સમાજને રૂ ૩ લાખ, શ્રી ઉમિયા માનવ મંદિરને ૧,૫૧,૦૦૦ ટંકારા પાંજરાપોળને રૂ ૫૧,૦૦૦ અર્પણ છે તેમજ દીપના મામા તેમજ ટંકારાના ઉદ્યોગપતિ અરવિંદભાઈ કણસાગરાએ ટંકારા કડવા પાટીદાર સમાજને રૂ ૫,૧૧,૦૦૦ અર્પણ કર્યા હતા..

- text

અત્રે ઉલ્લેખનીય છે કે ડો ચિખલિયા સાહેબ પોતાના મિલનસાર સ્વભાવથી જીલ્લામાં ખ્યાતનામ છે. સરકારી દવાખાને ડિલેવરી થનાર માતા માટે પોતાના ખર્ચે રસોડું તૈયાર કર્યુ છે જેમા ચોખ્ખા ધી નો સિરો અને પોસટિક આહાર નાત જાત જોયા વિના ખવડાવી નિજાનંદ મેળવનાર ડોક્ટરી દુનિયાના મહારથી ગણાય છે. અનેક પરીવારો ને મોટી બિમારી ની સારવાર માટે આર્થીક અનુદાન આપ્યુ છે જેની પોતે નોધ સુધા પણ લેવા દેતા નથી. ઉપરાંત જીવદયા ની સંસ્થા માનવ મંદિર સહિતના અનેક સમાજ સંગઠનો માટે કાયમી આર્થિક અનુદાન આપી પ્રોત્સાહિત કરતા રહા છે. સમગ્ર પાટીદાર સમાજ અને સંગઠનો વતી ચિખલિયા પરીવાર તથા કાનાણી પરીવારનુ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રમેશકુમાર કૈલા દ્વારા કરવામાં આવેલ હતું .

- text