- text
મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા આધેડ વેપારીએ અગમ્ય કારણોસર દુકાનમાં ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર શેરી નંબર 1 માં રહેતા દીપકભાઈ મયુરભાઈ પોપટ ઉ.55 નામના વેપારીએ માધાપર અંબિકા રોડ ઉપર ભાડાની દુકાનમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text