- text
મોરબીઃ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશની આન-બાન-શાનના પ્રતિક એવા તિરંગાને સૌ કોઈ પોતાના ઘરે, કામના સ્થળે લહેરાવી રહ્યા છે. ત્યારે આ અભિયાનને સફળ બનાવવા લીલાપર ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે CHO ડો. હિરલ ઓઝા, MPHW અક્ષય ગીરી, FHW ગુલશાનાબેન દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. તેમજ આશા બહેનો દ્વારા ઘરે-ઘરે તિરંગાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રાજપર પીએચસીના રવાપર, લખધીરનગર, ખાનપર, ચાચાપર ,થોરાળા, સનાળા સહિતના આરોગ્ય કેન્દ્રો પર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ હતી.
- text
- text